સુરત, 26 નવેમ્બર : ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2021 ‘ જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા.01/01/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો તા.01/11/2021(સોમવાર) થી તા.30/11/2021(મંગળવા૨) સુધીના સમયગાળા દરમ્યાન મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકકદાવાઓ રજુ કરી શકશે. ઓનલાઈન અરજીઓ www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરવો.
સુરત શહેર-જિલ્લામાં ખાસ ઝુંબેશરૂપે તા.27/11/2021(શનિવાર) તા.28/11/2021(રવિવાર) ના રોજ સવારે 10 થી સાંજે 5 કલાક દરમ્યાન બુથ લેવલ ઓફિસર (BLO) તમામ મતદાન મથકો ઉપર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. આથી જે નાગરિકો તા.01/01/2022 ના રોજ કે તે પહેલા 18વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય અને મતદા૨યાદીમાં નામ દાખલ કરવાના બાકી હોય તો પોતાના નામ મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં.8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે તા.27મી-શનિવાર અને તા.28-રવિવારે તેઓના વિસ્તારના સબંધિત મતદાન મથકે રજૂ કરી નામનોંધણી અને સુધારા કરાવી શકાશે.
આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવા મતદારો માટે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકો ઘરઆંગણે આ ખાસ ઝુંબેશનો લાભ લેવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત