સુરત , 1 ડિસેમ્બર : ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2021 ‘ જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક 1 જાન્યુઆરી-2022 ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, સુધારા-વધારા માટે 1 નવેમ્બરથી 30 નવેમ્બર-2021સુધીનો સમયગાળો નક્કી કરાયો હતો. પરંતુ ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમની મુદ્દત 5મી ડિસેમ્બર-2021 સુધી લંબાવવામાં આવી છે. જેથી મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, સુધારા-વધારા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને 5મી ડિસેમ્બર સુધી હકદાવાઓ રજૂ કરી શકશે. ઓનલાઈન અરજીઓ www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ મારફત પણ કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં. 1950 ૫૨ સંપર્ક કરવો. અત્રે નોંધનીય છે કે, આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2,25,052 વિવિધ અરજીઓ થઈ છે.
ખાસ ઝુંબેશરૂપે આગામી 5મી ડિસેમ્બરના રોજ સવારે 10થી સાંજે 5 કલાક દરમ્યાન બુથ લેવલ ઓફિસર (BLO) તમામ મતદાન મથકો ઉપર હાજર રહી હક્ક દાવા અને વાંધા અરજીઓ સ્વીકારશે. આથી જે નાગરિકો 1 જાન્યુઆરી-2022ના રોજ કે તે પહેલા 18 વર્ષની ઉંમર પૂર્ણ કરતા હોય અને મતદા૨યાદીમાં નામ દાખલ કરવાના બાકી હોય તો પોતાના નામ મતદારયાદીમાં દાખલ કરાવવા માટે ફોર્મ નં. 6 , મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં.8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે 5મી ડિસેમ્બર રવિવારે તેઓના વિસ્તારના સબંધિત મતદાન મથકે રજૂ કરી નામનોંધણી અને સુધારા કરાવી શકાશે.આ કાર્યક્રમની મુદ્દત લંબાવવામાં આવી હોવાથી નાગરિકો આ ઝુંબેશનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવામતદારો માટે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકો ઘરઆંગણે આ ખાસ ઝુંબેશનો લાભ લેવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી,સુરતની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત