રાજયના મહેસૂલમંત્રીના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લાનો મહેસૂલી મેળો યોજાયો

પ્રાદેશિક
Spread the love

સુરત, 11 ફેબ્રુઆરી : રાજ્‍યના મહેસૂલ મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને આજરોજ વલસાડ કલેકટર કચેરી ખાતે મહેસુલી મેળો વલસાડના પ્રભારી મંત્રી નરેશ પટેલ, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રી કનુ દેસાઇ અને કલ્‍પસર, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.


રાજયના મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની આગેવાનીવાળી લોકાભિમુખ, પારદર્શી વહીવટવાળી સરકારમાં લોકોના કામો ઝડપથી અને પારદર્શક રીતે અને સરળતાથી થાય તે માટેના નિર્ધાર સાથે રાજય સરકાર કામ કરી રહી છે એમ આજે વલસાડ કલેકટર કચેરી ખાતે યોજાયેલા મહેસૂલી મેળામાં રાજયના મહેસૂલ મંત્રી ત્રિવેદીએ જણાવ્‍યું હતું. રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યના નાગરિકોને સોગંદનામાના ખોટા ખર્ચમાંથી બચવા માટે સેલ્‍ફ ડેકલેરેશનનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.
આજરોજ મહેસૂલી મેળા પૂર્વે મંત્રી વલસાડ કલેકટર કચેરી પહોંચ્‍યા બાદ કોઇને પણ જાણ કર્યા વગર એક સામાન્‍ય નાગરિકની માફક જ રીક્ષામાં બેસી વલસાડ મામલતદાર કચેરી ખાતે દસ્‍તાવેજ નોંધણી કચેરીની આકસ્‍મિક મુલાકાત લીધી હતી. મંત્રીએ તેમની મુલાકાત દરમિયાન દસ્‍તાવેજની નોંધણી માટે આવેલા અરજદારોને પૃચ્‍છા કરી હતી તેમાં અરજદારોએ તેમના દસ્‍તાવેજોની નોંધણી યોગ્‍ય રીતે અને કોઇપણ પ્રલોભન વગર થઇ રહી છે એમ જણાવ્‍યું હતું. મંત્રીએ દસ્‍તાવેજ નોંધણી કચેરીની મુલાકાત વેળા દસ્‍તાવેજ નોંધણીની કામગીરી સુચારૂરૂપે ચાલી રહી છે એની અનુભૂતિ કરી સંતોષ વ્‍યકત કયો હતો.


ઉલ્લેખનીય છે કે, રાજયમાં નવસારી જિલ્‍લા ખાતેથી સૌ પ્રથમ શરૂ કરાયેલા મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર જ અરજદારોના મહેસૂલના પ્રશ્નોને સ્‍થળ ઉપર સાંભળીને પ્રશ્નોનો સ્‍થળ પર જ હકારાત્‍મક નિકાલ કરવાામં આવે છે. મંત્રીએ નવસારી જિલ્લા ખાતે 117 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરીને અરજદારોને તેમના હક્કો અપાવ્‍યા હતા. આજ પ્રમાણે આજે બીજા દિવસે મંત્રીએ વલસાડ જિલ્લાના બપોરે 3 વાગ્‍યા સુધીમાં રજૂ થયેલા 169 પ્રશ્નોનો સ્‍થળ ઉપર સાંભળીને 75 મહેસૂલના કેસોનો હકારાત્‍મક નિકાલ કરીને અરજદારોને તેમના મળવાપાત્ર હક્કો આપીને રાજય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટીની વલસાડના પ્રજાજનોને અનુભૂતિ કરાવી હતી. આ મેળામાં જે પ્રશ્‍નોનો સ્‍થળ પર નિકાલ ન થઇ શકતો હોય તેવા પ્રશ્નોના નિકાલ માટે મંત્રી સાથે ૧૪ જેટલા મહેસૂલ વિભાગના અધિકારીઓની ટીમ ગાંધીનગરથી આવી હતી.
વલસાડમાં મહેસૂલી મેળામાં આજે જિલ્લાના સેંકડો લોકો પોતાના પ્રશ્નો લઇને શાંતચિતે, વ્‍યવસ્‍થાને અનુરૂપ શાંતિથી પાોતાના પશ્નોની રજૂઆત કરી હતી. મંત્રીએ એક દિવસમાં જ અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ લાવવા બદલ મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન આપ્‍યા હતા. ગતરોજ આવેલા પ્રશ્નોનો આજે હકારાત્‍મક રીતે નિકાલ કરવાનો વલસાડનો આ સંદેશ સમગ્ર ગુજરાતના કલેકટોરેટને મળે એમ મીડિયા સાથેની મુલાકાતમાં મંત્રીએ જણાવ્‍યું હતું.મંત્રીએ નવસારી જિલ્‍લામાં યોજાયેલા મેળામાં ૧૭ જેટલા લોકો દ્વારા ખોટા કુલમુખ્‍તયાર કરીને જમીનો પચાવી પાડી છે તેવા ગુનેગારોને નશ્‍યત કરવા માટે પોલીસ વિભાગના સુરતના આઇ. જી. પાંડિયનને તાકીદ કરતાં આજરોજ બે જણ સામે એફ. આઇ. આર. થઇ છે અને બાકીની 15 એફ. આઇ. આર. પણ તુર્ત જ કરીને ગુનેગારોને પણ કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકયો હતો.


આજરોજ યોજાયેલા મહેસૂલી મેળામાં મંત્રીએ વલસાડ જિલ્‍લાના ખેડૂત સમાજના પ્રમુખશ્રી ભગુભાઇ પટેલે જિલ્‍લાના ૨૯ ગામોની એકસપ્રેસ વે અને બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોની જમીન સંપાદન થઇ છે અને તેમને યોગ્‍ય વળતર મળ્‍યું નથી તે બદલની તેમની રજૂઆત બાબતે યોગ્‍ય કાર્યવાહી કરી તેમને તેમના હક્કના નાણાં અપાવવાની બાહેંધરી આપી હતી. મંત્રીશ્રીએ કપરાડા તાલુકાના વિરક્ષેત અને ગીરનારાના માધુભાઇ ભુસારા અને પ્રમોદભાઇ ભુસારાની તેમની જમીનો જે ૧૯૮૫ માં રાજય સરકારે ખાલસા કરી હતી તે જમીન પર તેઓ વર્ષ ૧૯૫૧ થી ખેતી કરતાં હોઇ, તેમને તેમની જમીનો પરત મળે તેવી રજૂઆત બાબતે મંત્રીશ્રીએ આ બાબત નિતીવિષયક હોઇ જરૂરી કાર્યવાહી કરી તેમને યોગ્‍ય ન્‍યાય મળે તેવી હૈયાધારણ આપી હતી. મંત્રીશ્રીએ મંતવ્‍ય ન્‍યુઝના મયૂરભાઇ રાજગોરની તેમના સાપ્‍તાહિક પાકો ગુજરાતીના ટાઇટલ માટેની રજૂઆત સંદર્ભે તેમને ટાઇટલનો પત્ર રૂબરૂમાં આજરોજ તેમના હસ્‍તે આપ્‍યો હતો. આ મેળામાં રજૂ થયેલા પ્રશ્‍નોમાં જમીન સંપાદન, જમીન સુધારણા, આર.ટી.એસ., સ્‍ટેમ્‍પ ડયુટી વિભાગના પ્રશ્‍નોનો હકારાત્‍મક ઉકેલ આવ્‍યો હતો.


આ પ્રસંગે વલસાડ જિલ્‍લા પ્રભારી આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને નાણાંમંત્રી કનુ દેસાઇએ પ્રસંગોચિત સંબોધન કર્યું હતુંરાજયના કલ્‍પસર, નર્મદા અને જળસંપતિ અને પાણી પુરવઠાના મંત્રી જીતુ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્‍લો એ છેવાડાનો જિલ્‍લો હોવા છતાં રાજયના મહેસૂલ મંત્રીએ પસંદ કરવા બદલ ખુશી વ્‍યકત કરી હતી.
વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખહેમંતભાઈ કંસારા, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *