
સુરત, 18 ફેબ્રઆરી : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દહીંખેડ ખાતે રૂ. 24.50 લાખના ખર્ચે તેમજ પીપરોણી ખાતે રૂ. 34.75 લાખના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમ કમ કોઝવે બનાવવાના કામોનાં ખાતમુહૂર્ત કલ્પ સર અને મત્યો્લા દ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુચૌધરીના વરદ હસ્તે કરાયાં હતાં.
આ અવસરે પાણી પુરવઠા રાજયમંત્રી ચૌધરીએ જણાવ્યુંદ હતું કે, ગ્રામ્યન વિસ્તાજરોમાં પ્રજાજનોની સુખાકારી માટે જરૂરિયાત મુજબ તબક્કાવાર વિકાસના કામો હાથ ધરવામાં આવી રહયા છે. આ ચેકડેમ કમ કોઝવે બનવાથી દહીંખેડથી બુરવડ ગામનું અંતર ઘટી જશે. આ વિસ્તાજરમાં રહેતા પ્રજાજનોને આવનજવનની વધુ સુવિધા ઉપલબ્ધા કરાવવા માટે અનેક રસ્તા ઓ પહોળા બનાવવાનું આયોજન કરાયું છે. કોઈપણ વ્યાક્તિવ ભૂખ્યો્ ન રહે તે માટે કોરોના મહામારીનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યેો રાશન પૂરું પાડવામાં આવ્યું્ છે, જે માર્ચ સુધી આપવામાં આવશે. કોરોના સામે રક્ષણ મેળવવા વેકસીનેશન કરવામાં આવી રહયું છે, જેના લીધે કોરોના સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિમ મળે છે. રાજ્યય સરકાર વિકાસના પંથે ઝડપભેર આગળ વધી રહી છે, જેમાં સૌના સહયોગની અપેક્ષા તેમણે વ્યિક્ત. કરી હતી.

કાર્યપાલક ઈજનેર એસ.એ.વહિયાએ સ્વારગત પ્રવચનમાં સૌને આવકારી કામગીરીની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું્ હતું કે, નાની સિંચાઈ યોજના હેઠળ કપરાડા તાલુકામાં અનેક કામો કરવામાં આવ્યા છે, જેના થકી ગ્રામ્યવ વિસ્તા રમાં સિંચાઇની વધુ સુવિધા ઉપલબ્ધક બની છે.આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યાક્ષ ગુલાબ રાઉત તેમજ તાલુકા સંગઠન પ્રમુખ રમેશ ગાવીતે પ્રાસંગિક ઉદબોધન કર્યાં હતાં.
આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલ, દહીંખેડ સરપંચ ગજુભાઈ, પીપરોણી સરપંચ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોય, આજુબાજુના ગામોના સરપંચ, ગ્રામજનો ઉપસ્થિેત રહયા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત