સુરત શહેર-જિલ્લામાં આંશિક વધારા સાથે 17 કોરોના સંક્રમિત : 50ને અપાયો ડિસ્ચાર્જ

સ્થાનિક
Spread the love

સુરત, 23 ફેબ્રઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી હોય તેમ દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.જેને લઈને દેશભરમાં આર્થિક ગતિવિધિ પણ હવે ગતિ પકડી રહી છે. ગુજરાતમાં પણ ધીરે ધીરે સ્થિતિ થાળે પડી રહી છે.સુરત શહેર-જિલ્લામાં પણ કોરોના વિદાય લઈ રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં ગઈકાલની સરખામણીમાં આંશિક વધારા સાથે કુલ 17 કોરોના પોઝિટિવ નોંધાયા છે.જયારે શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 50 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

ગઈ કાલે સુરત શહેર-જિલ્લામાં કુલ 9 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા હતા. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 8 અને જિલ્લામાં નવા 9 દર્દીઓ મળીને કુલ 17 દર્દીઓ કોરોના ગ્રસ્ત થયા છે.શહેરમાં નવા નોંધાયેલા 8 દર્દીઓ સાથે શહેરમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,62,135 પર પહોંચી છે. જયારે, જિલ્લામાં નવા નોંધાયેલા 9 દર્દીઓ સાથે જિલ્લામાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે 42,759 પર પહોંચી છે. આ સાથે શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,04,894 પર પહોંચી છે. સદભાગ્યે સુરત શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત થયું નથી. આથી, શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંકડો 2236 યથાવત રહેવા પામ્યો છે.જેમાં સુરત શહેરના કુલ 1681 અને જિલ્લાના કુલ 555 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 32 અને જિલ્લામાં 18 દર્દીઓ આ મહામારીમાંથી મુક્ત થઈને સ્વસ્થ થતા કુલ 50 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંક 2,02,472 પર પહોંચ્યો છે.જેમાં જિલ્લાના અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ પામેલા કુલ 42,136 દર્દીઓનો સમાવેશ થાય છે.કોરોનાની વિદાયના અણસારો વચ્ચે શહેરમાં એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટીને હવે 186 પર પહોંચી ગઈ છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *