સુરત શહેર-જિલ્લામાં 9 કોરોના સંક્રમિત : 28ને અપાયો ડિસ્ચાર્જ

સ્થાનિક
Spread the love

સુરત, 27 ફેબ્રુઆરી : સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર વિદાય લઈ રહી હોય તેવા અણસારો મળી રહ્યા છે. ગુજરાતમાંથી પણ હવે આ મહામારીના વળતા પાણી થયા હોય તેમ દિન પ્રતિ દિન કોરોના ગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે.સમગ્ર રાજ્યમાં એક સમયે કોરોનાના દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે રહેતા સુરત શહેર-જિલ્લામાંથી આ મહામારી લગભગ એક્ઝિટ કરી રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 9 કોરોના પોઝિટિવ નોંધાયા છે.જયારે શહેર-જિલ્લામાંથી કુલ 28 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નવા 5 અને જિલ્લામાં નવા 4 દર્દીઓ સાથે કુલ 9 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે.શહેરમાં નવા 5 દર્દીઓ સાથે અત્યાર સુધીમાં કોરોના ગ્રસ્ત થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,62,154 જયારે જિલ્લામાં નવા 4 દર્દીઓ સાથે કુલ કોરોના ગ્રસ્ત દર્દીઓનો આંક 42,784 પર પહોંચ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત થયેલા દર્દીઓનો કુલ આંકડો હવે 2,04,938 પર પહોંચ્યો છે.સદભાગ્યે છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં એક પણ દર્દીનું મોત ન થવાથી શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંક 2237 યથાવત રહેવા પામ્યો છે.જેમાં સુરત શહેરના કુલ 1681 અને જિલ્લાના કુલ 556 મૃતકોનો સમાવેશ થાય છે.છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 21 અને જિલ્લામાં 7 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 28ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.આ સાથે સુરત શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 2,02,616 પર પહોંચી છે.જેમાં અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ પામેલા જિલ્લાના કુલ 42,187 દર્દીઓનો સમાવેશ થાય છે.શહેર-જિલ્લામાંથી વિદાય લઇ રહેલી મહામારીના પગલે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ હવે ઘટીને 85 પર પહોંચી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *