સુરત : કેન્દ્રીય આરોગ્યમંત્રીના હસ્તે નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું થશે લોકાર્પણ

સ્થાનિક
Spread the love

સુરત, 5 માર્ચ : કેન્દ્રીય આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર વિભાગના મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલ તા.6/3/2022ના રોજ સવારે 9:30 વાગ્યે નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ 10:30 વાગ્યે અલથાણ, ભીમરાડ ખાતે સ્વ.પદ્માબેન એચ. હોજીવાલા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12 વાગ્યે બારડોલી તાલુકાના ટુંડી ગામના એડન હોમ્સ ખાતે શ્રી ઉત્તર ગુજરાત 42 લેઉવા પાટીદાર સમાજ આયોજિત સ્નેહમિલનમાં હાજરી આપશે. સાંજે 5:30 કલાકે કતારગામ,આંબાતલાવડી રોડ ખાતે પાટીદાર સમાજની વાડીના સભાખંડમાં સરદારધામ આયોજિત ‘યુવા સંગ વિચાર સંગોષ્ઠિ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રાત્રે 8:35 વાગ્યે સુરત એરપોર્ટથી હવાઈમાર્ગે દિલ્હી જવા રવાના થશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *