
સુરત, 9 માર્ચ : ચોર્યાસી તાલુકાના જુનાગામની નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘અગ્નિ, સાવચેતી અને સલામતી’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના 400થી વધુ વિદ્યાર્થીઓને અગ્નિશામક સાધનોના ઉપયોગ વિશે વિસ્તૃત સમજ સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.

આ પ્રસંગે અદાણી હજીરા પોર્ટ સેફ્ટી વિભાગમાંથી પ્રતિક સ્માર્ત અને કિંજલ પટેલે વિદ્યાર્થીઓને આગ લાગવાના કારણો, આગ દરમિયાન રાખવાની સાવચેતી, બચાવના ઉપાયો વિશે સમજ આપતા અગ્નિશામક સાધનોનો ઉપયોગ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ તેની સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલ તાલીમ પણ વિદ્યાર્થીઓને આપી હતી. આમ, સમગ્ર કાર્યક્રમમાં આગની સમજ, બચાવના ઉપાયો તેમજ આગ સામે રક્ષણ માટે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.