
સુરત, 19 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.26/03/2022થી 12/04/2022 સુધી ધોરણ-10 (એસ.એસ.સી.) અને ધોરણ-12 (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહના (નિયમિત રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની પરીક્ષા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 134 પરિક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી જળવાય રહે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર તેવા હેતુથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલા (જી.એ.એસ.)એ જાહેરનામા દ્વારા પરીક્ષાના સમય દરમિયાન કાર્યક્ષેત્ર હેઠળ આવતા તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં કેન્દ્રોથી 200 મીટરનાં ઘેરાવાનાં વિસ્તારમાં હથિયાર કે મોબાઇલ ફોન/ઇલેકટ્રીક ડિવાઇઝ લઇ જવા પર કે પરીક્ષાના સમય દરમ્યાન તેના ઉપયોગ પર કે લાઉડ સ્પીકર વગાડવા પર તથા પરીક્ષા કેન્દ્રની 200 મીટર અંદર પરીક્ષા સમય દરમ્યાન ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ફરજ પરના અધિકારી-કર્મચારીઓને હુકમ લાગુ પડશે નહી. હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
અટલ રાષ્ટ્ર ન્યૂઝ // ભાવેશ ત્રિવેદી // સુરત