
સુરત, 29 એપ્રિલ : ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવવા સર્વોચ્ય નાગરિક પુરસ્કાર “ગુજરાત ગરિમા એવોર્ડ” માટે સુરતની રબર ગર્લ તરીકે પ્રખ્યાત અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની પસંદગી કરવામાં આવી છે. તા.1લી મે- ગુજરાત સ્થાપના દિનની પાટણ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ એવોર્ડ અન્વીને એનાયત કરવામાં આવશે.

નોંધનીય છે કે, રબર ગર્લ દિવ્યાંગ એવી અન્વી શારીરિક સમસ્યાઓ અને મર્યાદાઓ હોવા છતા યોગક્ષેત્રે રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ગોલ્ડ મેડલો પ્રાપ્ત કર્યા છે. તેને ત્રીજી ડિસેમ્બર-2021ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા, 24મી જાન્યુઆરી-2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તથા 26મી જાન્યુઆરી 2022ના રોજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. જેમા વધુ એક એવોર્ડ મેળવીને સુરતનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત