ઉમરપાડા તાલુકામાં તળાવો, જળાશયો, ડેમોમાં માછીમારી ન કરવા ચેતવણી

સ્થાનિક
Spread the love

સુરત, 11 જુલાઈ : ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીને ધ્યાને લઈ ઉમરપાડા તાલુકામાં ગત વર્ષના વરસાદની સામે આ વર્ષે 236 ટકા વધારે વરસાદ નોંધાયેલો છે. જેથી ઉમરપાડા તાલુકાના તમામ ગામોમાં આવેલા કાચા મકાનોમાં રહેતા રહીશોએ કામચલાઉ ધોરણે તેઓના પાકા મકાન ધરાવતા સંબંધીને ત્યાં અથવા નજીકની પ્રાથમિક શાળાઓમાં ખસી જવા તેમજ તળાવ, જળાશયો, ડેમમાં કોઈ પણ માછીમારી ન કરવા સુરત જિલ્લાની ડિઝાસ્ટર શાખાના મામલતદાર દ્વારા જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *