સુરત : જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

સ્થાનિક
Spread the love

સુરત,12 ઓગષ્ટ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨’ જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક 1 ઓક્ટોબર-2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે 12 ઓગષ્ટ-2022ના રોજથી 11 સપ્ટેમ્બર-2022 સુધી એક મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકકદાવાઓ રજુ કરી શકશે. આ ઝુંબેશ સંદર્ભે જિલ્લા કલેક્ટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, શહેર-જિલ્લામાં ફોટા વાળી મતદારયાદી સુધારણા અંતર્ગત 12 ઓગષ્ટ-2022 થી 11 સપ્ટેમ્બર-2022ના એક મહિનાના સમયગાળા દરમિયાન લોકો મતદારયાદીમાં નામોની નોંધણી કે સુધારા વધારા કરી શકાશે. ખાસ ઝુંબેશરૂપે 21 ઓગષ્ટ-2022 અને 28 ઓગષ્ટ-2022 (રવિવાર) તેમજ 4 સપ્ટેમ્બર-2022 અને 11 સપ્ટેમ્બર-2022(રવિવાર)ના રોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા મતદારયાદી સુધારણા હેઠળ બી.એલ.ઓ. જે તે મતદાન મથકે ઉપસ્થિત રહેશે.એક મહિના દરમિયાન ચાલનાર મતદારયાદી સુધારણા હેઠળ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર યુવા નાગરિકો મતદા૨યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં. 8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે ઉપરોક્ત ચાર રવિવાર દરમિયાન સબંધિત મતદાન મથકે નામનોંધણી અને સુધારા કરાવી શકશે. 10 ઓક્ટોબર-2022(સોમવાર)ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ થશે.

કલેક્ટરએ વધુમાં ઉમેર્યું કે, વિશિષ્ટ આયોજનના ભાગરૂપે સુરત શહેર તથા જિલ્લાની તમામ કોલેજોમાં યુવા મતદારોની નોંધણી માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરવો.આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવા મતદારો માટે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકો ઘરઆંગણે આ ખાસ ઝુંબેશનો લાભ લેવા કલેક્ટરએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, સુરત શહેર-જિલ્લાની 16 વિધાનસભામાં 46,65,996 જેટલા મતદારો નોંધાયેલા છે. જેમાં 25,11,811 પુરૂષ મતદારો જયારે 21,54,052 મહિલા મતદારો તથા અન્ય 133 જેટલા મતદારો નોંધાયેલા છે. જૈ પૈકી 33,084 દિવ્યાંગો નોંધાયેલા છે. સૌથી વધુ કામરેજ વિધાનસભામાં 5,36,440 જેટલા મતદારો તથા સૌથી ઓછા કરંજ વિધાનસભામાં 1,75,809 મતદારો નોંધાયેલા છે.પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર વાય.બી.ઝાલા તથા પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *