
સુરત, 27 ઓગષ્ટ : ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૨’ જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક 1 ઓક્ટોબર-2022 ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે તા.11/09/2022 સુધી મતદારયાદી સુધારણાની ઝુંબેશ ચાલી રહી છે.
આવતીકાલે 28મી ઓગષ્ટે રવિવારે નજીકના મતદાન મથકોએ બુથ લેવલ ઓફિસર (BLO) હાજર રહી અરજીઓ સ્વીકારશે. જ્યાં મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકકદાવાઓ રજુ કરી શકશે.
યુવા નાગરિકો મતદા૨યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં. 8 તથા એક જ વિધાનસભા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે ફોર્મ નં. 8(ક) જરૂરી આધાર પુરાવા સાથે ઉપરોક્ત ચાર રવિવાર દરમિયાન સબંધિત મતદાન મથકે નામનોંધણી અને સુધારા કરાવવાની તક છે. તા.10/10/2022(સોમવાર)ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ થશે.મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરવો.આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને 18વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવા મતદારો માટે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકો ઘરઆંગણે આ ખાસ ઝુંબેશનો લાભ લે એવો વિશેષ અનુરોધ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત