ભાવનગર : વડાપ્રધાનની મુલાકાતને લઇને ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પડાયું

પ્રાદેશિક
Spread the love

ભાવનગર, 27 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાનના ભાવનગર ખાતેના આગામી 29મી સપ્ટેમ્બરના પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ શો રૂટ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ તથા બસ ડાયરેક્શન રૂટવાળા રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે 29મી સપ્ટેમ્બરના રોજ કલાકઃ 7-૦૦ થી કલાકઃ 18-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./4515/ 2022 તા.24/૦9/2022થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(બી) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર બી.જે. પટેલે તા.29/૦9/2022ના રોજ કલાકઃ 7-૦૦ થી કલાકઃ 18-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર પ્રવેશબંધી જાહેર કરી છે.

જવાહર મેદાન ફરતાં તમામ રસ્તા :

(1) ઘોઘા સર્કલ-મેઘાણી સર્કલ-રબ્બર ફેક્ટરી સર્કલ-રાધા મંદિર-પ્લોટ ગેટ પોલીસ ચોકી-આતાભાઈ ચોક-રૂપાણી સર્કલ-ઘોઘા સર્કલ-રીલાયન્સ મોલ
(આતાભાઈ રોડ)થી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતા રસ્તા સુધી-રૂપાણી સર્કલથી ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો-ઘોઘા સર્કલથી
ગોળીબાર હનુમાનજી મંદિર તરફ જતો રસ્તો.
(2) મહિલા સર્કલ-ઘોઘા સર્કલ-રૂપાણી સર્કલ સુધી આવતા તમામ રસ્તા સંપૂર્ણ બંધ.
(3) આતાભાઈ-સંસ્કાર મંડળ-રામમંત્ર મંદિર સુધીના રસ્તા.
(4) પ્લોટ ગેટ પોલીસ ચોકી-પરીમલ ચોક-સેન્ટ્રલ સોલ્ટ ત્રણ રસ્તા-કાળીયાબીડ પાણીની ટાંકી સુધીના રસ્તા.

ડાયવર્ઝન રૂટ :

ઉપરોક્ત બંધ રસ્તે આવતા વાહનો માટેનો ડાયવરર્ઝન રૂટ:- મોખડાજી સર્કલ-ટી.વી. કેન્દ્ર રોડ-લાલ બહાદુર શાત્રી સર્કલ-તિલકનગર-દિપક ચોક-શિશુવિહાર-ક્રેસંટ સર્કલ-હલુરીયા ચોક-નવાપરા ચોક-ભીડભંજન ચોક-કાળાનાળા સર્કલ-કાળુભા રોડ-ચિતરંજન ચોક-ડાયાભાઈ ચોક-જ્વેલ્સ સર્કલ-કાળીયાબીડ પાણીની ટાંકી-રામમંત્ર મંદિર-દુખીશ્યામ બાપા સર્કલ-લાલા બાપા ચોક-સરદારનગર-શિવાજી સર્કલ-સુભાષનગર ચોક સુધીના તમામ રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામા અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવે છે.આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલાં લેવાં માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવાં ફરજ પરના અધિકારીને અધિકાર રહેશે તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગરના જાહેરનામામાં જણાવાયું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *