સુરત, 10 જાન્યુઆરી : રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ વિભાગના નિયામક, રોજગાર અને તાલીમ વિભાગ-ગાંધીનગરનાં તાબા હેઠળની આઇ.ટી.આઈ. સુરત ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત તા.09/01/23ના રોજ પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રનાં કુલ 9 એકમો અને 194 તાલીમાર્થીઓ ભાગ લીધો હતો. જે પૈકી 11 તાલીમાર્થીઓ સાથે એપ્રેન્ટીસ કરાર કરવામાં આવ્યા હતા. કુલ 76 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત