સુરત,02 મે : આગામી 7મી મે-2023 નાં રોજ ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં યોજાનારી તલાટી વર્ગ-3ની પરીક્ષા સુરત શહેરમાં 216 કેન્દ્રો પર લેવાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે શહેર પોલિસ કમિશનર(ઈ.ચા) શરદ સિંઘલે એક જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોથી 100 મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં આવેલા 216 પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર, ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમ્યાન ચાલુ રાખવા પર. વાહનો ઉભા રાખવા પર, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સરકારી પ્રતિનિધિ અને વર્ગ-4 નાં કર્મચારીઓએ પરીક્ષા કેન્દ્રની ફરજ દરમિયાન પોતાનું આઈ કાર્ડ સાથે રાખવાનું રહેશે. એ સિવાય કોઈને પણ પ્રવેશ મળશે નહિ. આ હુકમ પરીક્ષામાં રોકાયેલ અને સરકારી નોકરી કે રોજગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડશે નહિ. અ હુકમ તા.7 મે એ અમલી રહેશે, અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત