સુરતમાં બાગેશ્વર સરકાર આયોજન સમિતિ દ્વારા ચાલી રહી છે તડામાર તૈયારી

ધર્મ
Spread the love

સુરત, 19 મે : બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા આગામી 26 અને 27 મે ના રોજ સાંજે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નીલગીરી મેદાન લીંબાયત સુરત ખાતે બહુ ચર્ચિત હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર દિવ્ય પ્રવચનના ટાઈટલ થકી દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવે છે કે આ કાર્યક્રમ સુપેરે પાર પાડવા ભવ્ય અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં ધર્મપ્રેમી જનતા ની બેઠક વ્યવસ્થા માટે વિશાળ એવા 16 4 એટલે કે 20 બ્લોક બનાવવામાં આવશે જેમાં ટોટલ 7,20,00 સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ કવર કરવામાં આવનાર છે આ 20 બ્લોકમાં ટોટલ 1,75,000 શ્રોતાઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવનાર છે જેમાં શ્રોતાઓને ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવનાર છે.તેમ જ કુલ 6 જગ્યાએ નિશુલ્ક પાર્કિંગની વ્યવસ્થા નું પણ આયોજન કરવામાં આવેલ છે.100×40 ફૂટનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવનાર છે તથા 5000 સ્ક્વેર ફૂટ થી વધારે જગ્યાને કવર કરતા એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવનાર છે.

આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં આયોજકો દ્વારા વિવિધ સમિતિઓ બનાવવામાં આવેલ છે જે પૈકી આયોજન વિશે માહિતી આપવા માટે ત્રણ સદસ્યોની પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવેલ છે જેમાં કૈલાશજી હાકીમ( 9825134208 ), સાવરમલ બુધિયા ( 9825063209 ) અને પ્રતાપ જીરાવાલા ( 9825130220 /9879430220 )નો સમાવેશ થાય છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *