સુરત : સરસાણા પ્લેટિનિયમ હોલ ખાતે 6 અને 7 જૂન બે દિવસીય મિલેટ્સ ફેર અને પ્રદર્શન યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 5 જૂન : ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા આયોજીત અને એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયાના સહયોગથી સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં ખાતે મિલેટ્સ ફેર અને પ્રદર્શનનું 6 અને 7 જૂનના રોજ સુરત શહેરના સરસાણા ખાતે બે દિવસીય આયોજન કરાયું છે. જે અંતર્ગત તા.6ઠ્ઠીએ સવારે 11 વાગે જિલ્લા પુરવઠા અધિકારી એન.પી.સાવલિયા મેળાને ખુલ્લો મુકશે. લોકોના આરોગ્યને પ્રોત્સાહન આપતા પૌષ્ટિક મિલેટ્સને પ્રોત્સાહન આપવા અને તેના ગુણધર્મો વિશે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
બે દિવસીય મેળામાં બરછટ અનાજ વિશે જાગૃતિ અભિયાન ચલાવવાની સાથે તેના નવા ઉત્પાદનોનું પ્રદર્શન અને ખરીદનાર-વિક્રેતા બેઠકોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને દર્શાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો મેળાનું મુખ્ય આકર્ષણ રહેશે. પશ્ચિમ ભારતમાં ગુજરાત મિલેટ્સનું મુખ્ય ઉત્પાદન કરે છે. કોદરો, બાજરી, જુવાર, રાંગી જેવા અનાજની ખેતી માટે ગુજરાતનું વાતાવરણ અનુકૂળ છે. એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) એ નિકાસ વિકાસ, પ્રોસેસિંગ અને મિલેટ્સ અનાજના મૂલ્યવર્ધન માટે ગુજરાતને સંભવિત રાજ્ય તરીકે ઓળખાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-2023ને મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું છે. ત્યારથી, મિલેટ્સ અનાજ વિશે જાગૃતિ વધારવા માટે વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન કરીને મિલેટ્સના અનાજના પોષક ગુણો વિશે માહિતગાર કરવામાં આવે છે. ભારત વિશ્વમાં મિલેટ્સ અનાજનું સૌથી મોટું ઉત્પાદક છે. તેમને ઉગાડવું સૌથી સરળ છે. વરસાદના આધારે તેમનો પાક ઉગાડી શકાય છે. પોષણની દ્રષ્ટિએ તે ઉત્તમ આહાર છે. આ જ કારણ છે કે, આજે આખી દુનિયામાં મિલેટ્સ અનાજ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને મોટા કાર્યક્રમોમાં તેની અવનવી વાનગીઓ પીરસવામાં આવે છે.આ વર્ષની શરૂઆતથી, ભારત સરકારના ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય, મિલેટ્સને પ્રોત્સાહન આપવા માટે દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. એસોચેમ આ કાર્યમાં મંત્રાલયને મદદ કરી રહી છે. અગાઉ ઉત્તરાખંડના અલ્મોડા અને ઉત્તર પ્રદેશના આગ્રામાં શ્રી અન્ન મેળા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મેળાનું આયોજન હવે સુરતમાં થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં દ્વારા લોકોને બાજરી, જુવાર, રાગી, ઝાંગોરા, કોણી, મંડુઆ જેવા વિવિધ મિલેટ્સ ખેતી કરવા અને ઉત્પાદન વધારવા માટે પ્રેરિત કરવામાં આવશે.
સુરત જિલ્લા પુરવઠા અધિકારી એન.પી.સાવલિયા મેળાને ખુલ્લો મુકશે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગે પોતાના મંતવ્યો રજૂ કરશે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા PMFME યોજના પર એક પ્રેઝન્ટેશન કરવામાં આવશે. પ્રો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ડૉ. વિપુલ જે. સોમાણી, મહાત્મા ગાંધી ગ્રામીણ અભ્યાસ વિભાગ, સુકન્યા પોદુગલા, સહાયક નિયામક, FSSAI, અમદાવાદ અને અન્ય ઘણા નિષ્ણાતો ભાગ લેશે. બીજા દિવસે કાર્યક્રમમાં, બાજરીની નફાકારક વેલ્યુ ચેઈન બનાવવાની ચર્ચા કરવા માટે એક વિશેષ સત્રનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાત સરકારના કૃષિ અને સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. આ ઉપરાંત નાબાર્ડ, સિડબી, એનએસઆઈસી અને એસોચેમના અધિકારીઓ પણ હાજર રહેશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *