સુરત : જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર ડો.દિશા જાનીએ ‘યોગ એક્સ૫ર્ટ જજ’ તરીકે જવાબદારી નિભાવી માંડવી તાલુકાનું ગૌરવ વધાર્યું

સુરત, 27 જૂન: ‘યોગ’ને જન જન સુધી પહોંચાડી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને દોરવાના સંકલ્પ સાથે ગુજરાત યોગ બોર્ડના સુરત જિલ્લાના કોઓર્ડીનેટર ડો.દિશા જીગ્નેશ જાનીએ તા.21 જૂન-‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન સુરતમાં રચાયેલા ગિનિઝ બુક ઓફ વલ્ડ રેકોર્ડની ટીમમાં એક્સપર્ટ જજ તરીકેની જવાબદારી સંભાળી માંડવી પંથક સહિત સમગ્ર સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.રાજ્યભરમાંથી પસંદ થયેલી […]

Continue Reading

સુરત : ચોર્યાસીના લોકપ્રિય ધારાસભ્ય સંદીપ દેસાઈના 51મા જન્મદિવસની અનોખી અને સેવા સભર ઉજવણી કરાઈ

સુરત, 22 મે : ચોર્યાસીના લોકપ્રિય અને કર્મઠ ધારાસભ્ય સંદીપ દેસાઈએ તા.22મી મે એ પોતાના 51મા જન્મદિવસની અનોખી અને સેવાસભર ઉજવણી કરી હતી. ધારાસભ્યએ નવી સિવિલમાં જરૂરિયાતમંદ દર્દીઓ, દિવ્યાંગો, ધાત્રી અને સગર્ભા માતાઓને સાધન-સહાય અને ન્યુટ્રીશન કીટ તેમજ સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેન્ક ખાતે સિવિલમાં નોંધાયેલા અને વેઈટિંગમાં હોય તેવા કાનની બહેરાશ ધરાવતા 51 જરૂરિયાતમંદ દર્દીઓને […]

Continue Reading

સુરતની વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની SRK દ્વારા સોનમ વાંગચુકને સંતોકબા માનવ રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

સુરત, 18 એપ્રિલ : SRK અને SRKKF ના ફાઉન્ડર ચેરમેન ગોવિંદ ધોળકિયાના માતૃશ્રી સંતોકબાની પુણ્યતિથિના યાદગાર દિવસ સોમવાર, 10મી એપ્રિલ 2023 ના રોજ વિશ્વ પ્રસિદ્ધ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા. લી.(SRK) ના SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા ભારતીય એન્જીનિયર, સંશોધક, સસ્ટેનેબલ ડેવેલોપમેન્ટ સુધારક તથા સ્ટુડન્ટ્સ એજ્યૂકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ (SECMOL) ઓફ લદાખના સ્થાપક-નિર્દેશક સોનમ વાંગચુકને […]

Continue Reading

સુરત : ડો.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિતે સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા અડાજણ ખાતે વિચારગોષ્ઠિ યોજાશે

સુરત,13 એપ્રિલ : સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ (માહ્યાવંશી સમાજ) દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મ જયંતી નિમિત્તે 14એપ્રિલના રોજ સાંજે 4:30વાગ્યે સ્નેહ સંકુલ વાડી, પહેલો માળ, અડાજણ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં બાબાસાહેબના વિચારો, સંઘર્ષ અને કાર્યો થકી પ્રેરણા લઈ આપણું સામાજિક દાયિત્વ નિભાવવા સંકલ્પ કરીએ, સ્નેહ સંકુલ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકરના વિચાર અને કાર્યો પર […]

Continue Reading

સુરતની 14 વર્ષની બાળલેખિકાએ 11 વર્ષની ઉંમરે ‘આજના બાળકો આવતીકાલનું ભવિષ્ય’ નામનું પ્રથમ પુસ્તક લખ્યું

સુરત, 1 એપ્રિલ : 2જી એપ્રિલ એટલે આંતરરાષ્ટ્રીય બાલ પુસ્તક દિન. સમગ્ર વિશ્વમાં બાળલેખકો, બાલ સાહિત્યકારોને નવાજવા માટેના આ દિવસે વાત કરવી છે સુરતની એવી બાળલેખિકાની જેણે માત્ર 11 વર્ષની ઉંમરે “આજના બાળકો, આવતીકાલનું ભવિષ્ય” નામનું પુસ્તક લખ્યું હતું. નાની ઉંમરે આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર તરીકે ખ્યાતિ મેળવી ચૂકેલી આ બાળલેખિકા છે ધો.8માં અભ્યાસ […]

Continue Reading

સુરત : પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલનો સતત બીજી વખત દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ

સુરત : ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક અખબાર ઇન્ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.સી.આર.પાટીલ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 6 લાખ 89 હજાર થી વધુ મતોથી જંગી સરસાઈ થી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર […]

Continue Reading

પૂજ્ય મોટાના આશીર્વાદ લેવા જરૂર આવીશ…પણ પુરસ્કાર માટે માફ કરશો : ચિંતન રાજ્યગુરૂ

સુરત, 29 માર્ચ : સંસ્કૃત ભાષા સાથે એમ.એ. બી.એડ., સંસ્કૃત ભાષાના વિદ્યાવાન અને સંસ્કૃતમાં શાસ્ત્રી અને આચાર્ય, શિક્ષાશાસ્ત્રી એવી ઉપાધિઓ પ્રાપ્ત કરનાર અને શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ (ગુરુકુળ પરંપરા)માં શિક્ષિત અને દીક્ષિત અને પોલીસમાં પહેલી ભરતી લોકરક્ષક તરીકે અને આજે સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પી.સી.આર. વાનમાં જાહેર જનતાની સેવામાં કાર્યરત એવા પોલીસ કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગુરુએ […]

Continue Reading

સુરતમાં આયોજિત સરસ મેળામાં આવેલા ગોમતીબેન આહિરની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં ચાહકો

સુરત, 10 માર્ચ : કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર કચ્છી નારીની કે જેમણે કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી 400 મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે. બે ધોરણ સુધી ભણેલા ગોમતીબેને કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ […]

Continue Reading

હરિપુરાથી બારડોલી સ્વરાજ આશ્રમ સુધીની 17 કિ.મી.ની સાયકલ રેલીમાં બારડોલીનો 11 વર્ષીય હેત ગજ્જર જોડાયો

સુરત, 19 જાન્યુઆરી : બારડોલીના ઐતિહાસિક ઓળખ ધરાવતા હરિપુરા ગામેથી સુભાષબાબુની ૧૨૬મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે હરિપુરાથી બારડોલી સ્વરાજ આશ્રમ સુધી 17 કિ.મી.ની સાયકલરેલી યોજાઈ હતી. જેમાં પોલીસ જવાનો, યુવાનો સૌ કોઈએ ભાગ લીધો હતો. જેમાં નવાઈની વાત એ હતી કે, વહેલી સવારે 7 વાગે આયોજિત સાયકલ રેલીમાં 11 વર્ષિય હેત અમિતકુમાર ગજ્જરે શિયાળાની કડકડતી ઠંડીમાં […]

Continue Reading

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ સુરત જિલ્લાના હરિપુરા ગામમાં આનંદ ઉત્સાહનો માહોલ

સુરત, 9 જાન્યુઆરી : આઝાદીના 75 વર્ષ-અમૃત મહોત્સવ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણીને યાદગાર બનાવવા માટે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરીપુરા ગામે 19 જાન્યુઆરીએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે આઇકોનીક ઇવેન્ટ યોજાનાર છે.ત્યારે હરીપુરા ગ્રામજનો માટે આનંદ અને ખુશીનો માહોલ છે. હરિપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક સપ્તાહ સુધી રહ્યા હતા. આ […]

Continue Reading